ભાવનગર શહેર: શિવાજી સર્કલથી જકાત નાકા સુધી ના રોડનું લાંબા સમયથી ખોદાયેલા રસ્તાઓને લઈ કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા
Bhavnagar City, Bhavnagar | Apr 8, 2026
ભાવનગર શહેરના સરદારનગર વોર્ડમાં શિવાજી સર્કલથી તળાજા જકાતનાકા સુધીના રોડનું કામ છેલ્લા દોઢ-બે વર્ષથી અધૂરું હોવાને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કામની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં રસ્તાઓ હજુ ખોદાયેલી હાલતમાં જ છે, જેના લીધે ટ્રાફિક જામ, મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાનો ભય વધ્યો છે.. ખરાબ રસ્તાઓને લીધે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે.ત્યારે આજે તારીખ 8 એપ્રિલના રોજ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ વ્યક્ત કરાયો.