પલસાણા તાલુકાના બલેશ્વર ગામે 519 બંગલાઓ ધરાવતી અવધ સાંગ્રિલા સોસાયટીમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે સોસાયટીમાં રમતા બાળકો, સવારે મોર્નિંગવોક નીકળતા વૃધ્ધો અને મહિલાઓની પાછળ દોડી કુતરા કરડવાના કિસ્સાઓ વધતા બલેશ્વર ગામ પંચાયતને અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલા નહીં લેતા આજે રવિવારે બપોરે સોસાયટીની મહિલાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને કૂતરાના ત્રાસ માંથી મુક્તિ મેળવવા નક્કર પગલાં લેવા માટે મિટિંગ કરવામાં આવી