ગોધરા: ગોધરામાં ખાલસા પંથ સ્થાપના દિવસની ભાવભીની ઉજવણી, ભુરાવાવ સ્થિત ગુરુદ્વારામાં અખંડ પાઠ અને લંગરનું આયોજન
ગોધરામાં ખાલસા પંથ સ્થાપના દિવસની શ્રદ્ધાભરી ઉજવણી કરવામાં આવી. ગુરુ ગોવિંદસિંહજીએ 1699માં સ્થાપેલા ખાલસા પંથના અવસર પર ભુરાવાવ સ્થિત ગુરુદ્વારામાં 48 કલાકનો અખંડ પાઠ યોજાયો, જેનો સમાપન ધાર્મિક વિધિઓ સાથે થયો. ત્યારબાદ કીર્તન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. આ દરમિયાન 48 કલાક સતત લંગર સેવા ચાલી, જેમાં તમામ સમાજના લોકો ભેદભાવ વિના એક સાથે ભોજન લીધું. કાર્યક્રમમાં શીખ સમાજ સાથે અન્ય સમાજના લોકો પણ સેવાભાવથી જોડાયા અને સફળ આયોજન કર્ય