ઉધના: શહેરમાં સગાઈ નહી થતા તણાવમાં રહેતી વરાછાની યુવતીએ ફાંસો ખાધો
Udhna, Surat | Feb 25, 2026 સગાઈ થતી ન હોવાથી તણાવમાં રહેતી સુરતના વરાછાની પચ્ચીસ વર્ષીય યુવતીએ ઘરમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત | મુજબ મુળ ભાવનગરમાં જેસર તાલુકામાં | રામપરાગામના વતની અને હાલમાં વરાછા ખાતે અંજલી સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય દિવ્યા રમેશ મકવાણાએ આજે બપોરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું. પોલીસે કહ્યુ કે, દિવ્યાની સગાઈના પ્રયાસો ચાલી રહ્યા હતા પણ સગાઈ થતી ન હોવાથી તે તણાવમાં રહેતી હતી.