આજે 26 તારીખે રામપુરા ચોકડી પાસે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો આગથળા ધાનેરા રોડ જે અઢી વર્ષથી અધરતાલ હોવાના કારણે પાવડા અને દોડીયા સાથે આંદોલન આદર્યું હતું જેમાં કોન્ટ્રેકટર વિરુદ્ધ અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા અને રોડ ના ખાડા પુરણ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની અટકાયત કરી હતી જો કે અટકાયત બાદ દોલભાઈએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ રોડ નહિ થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ છે