આગથળા થી ધાનેરા રોડ નું કામ અઢી વર્ષેય અધરતાલ હોઈ ખેડૂતોએ તગારા પાવડા સાથે આંદોલન કર્યું
Lakhani, Vav Tharad | Dec 26, 2025
આજે 26 તારીખે રામપુરા ચોકડી પાસે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો આગથળા ધાનેરા રોડ જે અઢી વર્ષથી અધરતાલ હોવાના કારણે પાવડા અને દોડીયા સાથે આંદોલન આદર્યું હતું જેમાં કોન્ટ્રેકટર વિરુદ્ધ અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા અને રોડ ના ખાડા પુરણ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની અટકાયત કરી હતી જો કે અટકાયત બાદ દોલભાઈએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ રોડ નહિ થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ છે