ખંભાળિયા: હરસિદ્ધિ માતાજીના સાનિધ્યમાં ઉજવાયો નવરાત્રી શક્તિ પર્વ; કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો
યાત્રાધામ હર્ષદ ખાતે હરસિદ્ધિ માતાજીના સાનિધ્યમાં બે દિવસીય નવરાત્રી શક્તિ પર્વ 2025 ની ઉજવણી. પ્રથમ દિવસે કલાકાર મયુર દવેના તાલે ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યાં. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઉપસ્થિત રહીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો. આજે 28 સપ્ટેમ્બરના રાત્રે ગાયિકા સરસ્વતીબેન હીરપરા માતાજીની આરાધના કરશે.આ વિગતો રાત્રે 9 વાગ્યે થી મળેલ છે.