પાવાગઢ ખાતે 9 જાન્યુઆરીના રોજ આધ્યાત્મિક અને ધાર્મિક માહોલ વચ્ચે નવી યજ્ઞશાળાનુ ભવ્ય લોકાર્પણ કરાયુ હતું.લોકાર્પણ વિધિ બાદ પાવાગઢ મહાકાળી મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં ત્રણ દિવસીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞની શાસ્ત્રોક્ત રીતે શરૂઆત કરવામાં આવી હતી.ત્રણ દિવસ સુધી ચાલેલા યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, ધાર્મિક વિધિઓ દ્વારા સમગ્ર પાવાગઢ ધામ આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ બની ગયું હતુ.તા.11 જાન્યુઆરી રવિવારના રોજ અંતિમ દિવસે પૂર્ણાહુતિ કરાઇ હતી