રાજુલા: માનવતાનો જીવંત અવતાર: મોરારી બાપુએ ધાતરવડી દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને સહાય આપી
Rajula, Amreli | Nov 1, 2025 રાજુલાની ધાતરવડી નદીમાં થયેલી દુર્ઘટનામાં 4 યુવાનોના દુઃખદ અવસાનના સમાચાર સામે આવ્યા છે. આ દુઃખદ પ્રસંગે પરમપ્રખ્યાત કથાકાર પૂજ્ય મોરારી બાપુએ મૃતક પરિવારોને રૂ. 60,000 ની આર્થિક સહાય આપીને માનવતાનો અદભૂત સંદેશ આપ્યો છે. બાપુની આ સહાયથી શોકગ્રસ્ત પરિવારોને થોડી રાહત મળશે અને સમાજમાં કરુણાભાવનું પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.