અમદાવાદ શહેર: સાબરમતી સ્નાનાગર પાસે પડ્યો મસમોટો ભૂવો , સાબરમતી-ચાંદખેડા માર્ગ બંધ કરાયો
સાબરમતી સ્નાનાગર પાસે એક મોટો ભૂવો પડતાં તંત્ર દ્વારા સાબરમતી-ચાંદખેડા મુખ્ય માર્ગને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે. આશરે ૨ કિલોમીટર લાંબો રસ્તો બંધ કરીને ટ્રાફિકને અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પહેલા જ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓની પોલ ખોલી નાખી છે અને રોડની નબળી ગુણવત્તા પર ફરી સવાલો ઊભા થયા છે. હાલ તંત્ર દ્વારા સ્થળ પર બેરિકેડિંગ કરી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.