વલસાડ શહેરમાં 16 જુલાઈ, ગુરુવારના રોજ ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા યોજાનાર છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આજે શહેરમાં ભવ્ય ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું.
જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં યોજાયેલા આ ફૂટ પેટ્રોલિંગની શરૂઆત વલસાડના છીપવાડ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી કરવામાં આવી હતી.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કાફલો છીપવાડ હનુમાનજી મંદિર, પાવર હાઉસ, કલ્યાણબાગ સર્કલ, આવાબાઈ સ્કૂલ, આઝાદ ચોક, એમ.જી. રોડ અને તળિયાવાડ સહિત ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમગ્ર રૂટ પરથી પસાર થયો હતો. આ ફ્લેગ માર્ચ દ્વારા સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી.
ફૂટ પેટ્રોલિંગમાં વલસાડ નગરપાલિકાની ટીમ, ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જગન્નાથ મંદિર કમિટીના સભ્યો પણ જોડાયા હતા, જેથી રથયાત્રા �
Valsad, Valsad | Jul 14, 2026