જાંબુઘોડા ની જોરિયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઇનોવેશન ક્લબ દ્વારા પ્રિન્સીપાલ ડૉ સી.બી. રાઠવાના દિશાસૂચન અંતર્ગત વિજ્ઞાન અને પ્રકૃતિ વિષય પર એક દિવસીય વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો હતો.ઇનોવેશન ક્લબના કૉ-ઓર્ડીનેટર ડૉ.અભિષેક પટેલ દ્વારા પોતાના સંબોધનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને પર્યાવરણ સંરક્ષણની આવશ્યકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો જેની માહિતી આજે સોમવારના રોજ સવારે 10 કલાકે પ્રાપ્ત થઈ હતી