પલસાણા ખાતે શ્રી લડ્ડુ ગોપાલ ગૌસેવા સમિતિ દ્વારા આયોજિત શિવ કથા પહેલા, દિવ્ય ધ્વજારોણ અને ત્રિશૂલ સ્થાપનાનો ભવ્ય કાર્યક્રમ સામાજિક આગેવાન છોટુભાઈ પાટીલની અધ્યક્ષતામાં રવિવારે રાત્રે પ્રસન્ન વાતાવરણમાં યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ તરીકે પલસાણા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ મીંઢોળા નદીના પવિત્ર કિનારે આધ્યાત્મિક માહોલ સર્જાયો