ગાંધીનગર: અક્ષરધામ ખાતે બે મેડિકલ વાનનું આરોગ્ય મંત્રી, વાહન-વ્યવહાર મંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું
ગાંધીનગર અક્ષરધામમાં ગુજરાત સરકારના વાહન વ્યેવહાર મંત્રી અને આરોગ્ય મંત્રી અને બી.એ.પી.એસ સંસ્થાના સંતો તેમજ એસ્ટર ડી.એમ હેલ્થકેરના પ્રતિનિધિઓ દ્વારા મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. બી.એ.પી.એસ સંસ્થા દ્વારા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આજે એક મહત્વપૂર્ણ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.