તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતની જનતા વિશે આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ખડગેએ ગુજરાતના લોકોને 'અભણ' અને 'મૂર્ખ' ગણાવતા, ભાજપના નેતાઓએ તેની આકરી ટીકા કરી છે અને માફીની માંગ કરી છે.