ચોટીલા તાલુકાના રેશમિયા ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૂળ ત્રમ્બોડા ગામના વતની રામભાઈ નામના આધેડ જ્યારે રેશમિયા ગામની સીમમાં બકરા ચરાવી રહ્યા હતા, ત્યારે અચાનક મોટી મધમાખીઓના ઝુંડે તેમના પર હુમલો કર્યો હતો. મધમાખીઓના આ હુમલાથી બચવા રામભાઈએ નજીક આવેલા તળાવમાં છલાંગ લગાવી હતી, પરંતુ કમનસીબે તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને પાણીમાં જ ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું.