કાલોલ: વેજલપુર ખાતે મોડી સાંજે અકસ્માત સર્જાતા TRB જવાન સહિત બે લોકોના મોત,જયારે 8 થી વધુ ઇજાગ્રસ્ત થયાં
કાલોલ ગોધરા હાઇવે રોડનાં વેજલપુર ખરસલીયા ચોકડી ખાતે સોમવારે સાંજે દસ વાગ્યાની આજુબાજુ એક કન્ટેનર, આઈસર, ટ્રેલર અને વાન સહિતના વાહનો સાથે ત્રિપલ અકસ્માત સર્જાતા એક TRB જવાન સહિત બે લોકોના મોત નીપજ્યા હતાં, જયારે લુણાવાડાનાં એક પરિવારના ચાર બાળકો સહિત આઠથી વધુ લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં.આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં ઘટના સ્થળ ઉપર પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ઘરેલ છે.