10 દિવસની રજા લઈને ફરાર થયેલા આરોપીને પોલીસ મધ્યપ્રદેશના ધરમપુરીથી પકડી લાવી, જેલભેગો કર્યો
વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ સમયસર હાજર ન થઈને ફરાર થઈ ગયેલા આજીવન કેદના કેદીને ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. સુનીલભાઈ રૂમડીયાભાઈ ઉર્ફે રામેશ્વરભાઈ મકર નામનો આ કેદી, જે હત્યા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો, તે ગત 10 ફેબ્રુઆરી 2026 ના રોજ 10 દિવસની પેરોલ રજા પર મુક્ત થયો હતો. રજા પૂરી થયાના ઘણા સમય બાદ પણ તે જેલમાં હાજર ન થતા તે ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા તે મધ્યપ્રદેશના ધરમપુરી વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડી સાઈ મંદિર પાસેથી આરોપીને ઝડપી પાડી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સોંપી દીધો છે.
#factfindernews #DCB #arrested #VadodaraPolice #criminal