સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 'ઓપરેશન કારાવાસ' અંતર્ગત વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે.ભરણપોષણના ગુનામાં સજા પામેલ અને લાજપોર જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયેલા કેદી દિનેશ અશોકભાઈ જાવરેને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.બાતમીના આધારે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉધના સાઉથ ઝોન પાસે આવેલ દિવ્યાનંદ સોસાયટીમાંથી ફરાર કેદી દિનેશ અશોકભાઈ જાવરેને દબોચી લીધો હતો. તેની ધરપકડ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.