માળીયા: માળિયા મિયાણા તાલુકામાં રણવિસ્તારમાં અગરિયાઓને થયેલા નુકસાનનું વળતર આપવા માંગ કરાઇ
Maliya, Morbi | Apr 7, 2025 માળિયા (મિયાણા)તાલુકાના રણવિસ્તારોમાં મોરબી મચ્છુ-2 ડેમના દરવાજા ખોલવાથી મીઠાના અગરોમાં પાણી ઘુસી જવાથી નુકસાન થયું છે. ત્યારે આ નુકસાનનો સર્વે કરી અગરિયાઓને નુકસાનનું વળતર આપવાની માંગ સાથે અગરિયા હિતરક્ષક મંચ દ્વારા માળીયા (મી.) મામલતદાર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.