તારાપુર: તારાપુર અને ખંભાત પંથકમાં મેઘરાજાને રીઝવવા વિવિધ મંદિરોમાં વિશેષ પૂજાવિધિ કરવામાં આવી.
Tarapur, Anand | Jun 30, 2026 તારાપૂર અને ખંભાત પંથકમાં મેઘરાજાને રિઝવવા માટે. વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા વિધિ કરવામાં આવી હતી.નગરા ગામના આંગણે પંથકમાં સારા વરસાદની કામના સાથે અને ધરતીપુત્રો પર મેઘરાજા મન મૂકીને વરસે તેવા શુભ આશયથી એક ભવ્ય પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.ગામની રક્ષા કરતા આરાધ્ય દેવી શ્રી વેરાઈ માતા અને શ્રી દવાશણી માતાના સાનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમમાં નગરા ગામના સરપંચ તથા દવાશણી માતાના ભુવાજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા અર્ચના કરાઈ