ગોધરા: મતગણતરી કેન્દ્રોની ૧૦૦ મીટરની મર્યાદામાં મોબાઈલ,લેપટોપ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના વપરાશ પર પ્રતિબંધ
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી-2026 અંતર્ગત મતગણતરી માટેના કેન્દ્રો જાહેર કરાયા છે. ગોધરા તાલુકા પંચાયતની મતગણતરી સરકારી પોલિટેકનિક કોલેજ, ગદુકપુર ખાતે યોજાશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ 28 એપ્રિલ 2026ના રોજ સવારે 7 વાગ્યાથી પરિણામ જાહેર થાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં મોબાઈલ, લેપટોપ સહિત તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. કોઈપણ વ્યક્તિ આવા ઉપકરણો લઈ જઈ શકશે નહીં. નિયમનો ભંગ કરન