સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે જગન્નાથજી ભગવાનના રથનું વિધિવત પૂજન કરાયું
Bhavnagar City, Bhavnagar | Apr 19, 2026
ભાવનગરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જે રથયાત્રા પહેલા રથયાત્રા સમિતિ દ્વારા વિધિવત રીતે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથજીના રથનું પરંપરાગત ધ્વજારોહણ અને પૂજન કરવામાં આવે છે ત્યારે આજે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીના રથનું વિધિવત પૂજન કરી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ કરાયો હતો.