કાલોલ: મધવાસ ચોકડી પાસે પેસેન્જર ભરેલો છકડો પલ્ટી મારતા અકસ્માત સર્જાયો,રોફ જમાવતા છકડા ચાલકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ
કાલોલ હાલોલ હાઈવે સ્થિત મધવાસ ચોકડી પાસે ગુરુવારે બપોરના એક વાગ્યાની સુમારે પેસેન્જર ભરેલો છકડો પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સૌનો આબાદ બચાવ થયો હતો તેમ છતાં અકસ્માતને પગલે નાની મોટી ઈજાઓથી પાંચ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.