સુરત: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં આજે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્વપૂર્ણ 'સંગઠન વિચારવિમર્શ' બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોળી સમાજના કદાવર નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજના સંગઠન અને વર્તમાન વિવાદો અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી.બેઠકને સંબોધતા કુંવરજી બાવળિયાએ સંગઠનમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અંગે મોટું નિવેદન આપ્યું હતું.