ગોધરા: પંચમહાલ જિલ્લામાં જળ સંચયનો મોટો પ્રકલ્પ: સુજલામ સુફલામ યોજના હેઠળ 56 તળાવો ઊંડા કરવાની કામગીરી અંતિમ તબક્કામાં
પંચમહાલ જિલ્લામાં જળ સંચય અભિયાન હેઠળ 'સુજલામ સુફલામ યોજના' અંતર્ગત 56 તળાવો ઊંડા કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે, જે આવતીકાલ સુધીમાં પૂર્ણ થશે. આ ભગીરથ કાર્યને કારણે આગામી ચોમાસામાં જિલ્લાની જળ સંગ્રહ ક્ષમતામાં મોટો વધારો થશે. પરિણામે ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવતા સ્થાનિક ખેડૂતોને પરોક્ષ સિંચાઈનો સીધો લાભ મળશે. તળાવોના ખોદકામ દરમિયાન નીકળેલી ફળદ્રુપ માટીનો ઉપયોગ ખેતીકામ અને સરકારી વિકાસ કાર્યોમાં કરવામાં આવી રહ્યો છે. સમગ્ર કામગીરી નિયમબદ્ધ અને પાર