અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પાનસો કવાટર્સ સ્થિત સાંઇનાથ સોસાયટીમાં રહેતા આનંદ શર્મા નર્મદા કન્સ્ટ્રકશન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.જેઓને ઓનલાઈન ચીજોના વેચાણની લાલચ આપી ગઠિયો રૂ.1.10 કરોડની છેતરપીંડી કરતા આનંદ શર્માએ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.