ગોધરા: તાલુકાના નદીસર ગામ પાસે ઈકો કારના ચાલકે સાયકલ સવાર સહિત ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા
ગોધરા તાલુકાના નદીસર ગામ નજીક ઈકો કારના ચાલકે સાયકલ સવાર સહિત ત્રણ લોકોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વલ્લવપુરના નરેન્દ્રસિંહ ચંદ્રસિંહ ઠાકોરનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે બે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે કાંકણપુર દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ કારનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. કાંકણપુર પોલીસે ગુનો નોંધી ફરાર ચ