તારાપુર: ઈસરવાડા પાસે રૂની ગાંસડીઓ સગવગે કરાયાનો પર્દાફાશ, ટ્રકમાં આગ લગાડી હોવાનું બહાર આવ્યું
Tarapur, Anand | Jun 17, 2026 તારાપુર તાલુકાના ઈસરવાડા પાસે રૂની ગાંસડીઓ ભરેલી ટ્રકમાં લાગેલી આગ એક આયોજનબદ્ધ ચોરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.મધ્યપ્રદેશના સેંધવા ખાતે રહેતા રૂના વેપારી દિનેશભાઈ શાંતારામ ચૌહાણે મહારાષ્ટ્રથી રૂની આશરે 150 ગાંસડીઓ ટ્રકમાં ભરીને રાજુલા રવાના કરી હતી.ટ્રક ડ્રાઈવર કૈલાશ જામરે અને અન્ય આરોપીઓએ મળીને ટ્રકમાંથી રૂની ગાંસડીઓ ચોરી કરી હતી અને ત્યારબાદ પુરાવા નષ્ટ કરવા માટે ટ્રકમાં આગ લગાડી દીધી હતી.