ગોધરા: રગડિયા પ્લોટમાં ૩ દિવસથી લો-વોલ્ટેજ:રહીશો પરેશાન, વીજ કેબલમાં આગ લાગી, કાયમી ઉકેલની માગ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રગડિયા પ્લોટ, હુદા મસ્જિદ પાસેના રહીશો વીજળીની સમસ્યાને કારણે ત્રામિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં લો-વોલ્ટેજની ગંભીર સમસ્યા સર્જાતા લોકોના ઘરના ઉપકરણો કામ કરતાં બંધ થઈ ગયા છે.ગોધરાના રગડિયા પ્લોટ અને હુદા મસ્જિદ વિસ્તારમાં વીજળીના ઓછા વોલ્ટેજને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભર ઉનાળે જ્યારે તાપમાન