આજરોજ તારીખ ૩૦ ડિસેમ્બરના રોજ કઠલાલ કુમાર શાળા પીએમશ્રી ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી 'વિજ્ઞાન-ગણિત પ્રદર્શન ૨૦૨૫'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જી.શિ. અને તાલીમ ભવનના સિનિયર લેક્ચરર જે.એસ. ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.