ગોધરા: ગોધરા ડેપોના ટ્રેન મેનેજરની સતર્કતાથી મોટી રેલ હોનારત ટળી, ડેરોલ ખરસાલીયા વચ્ચે ટ્રેનમાં બની હતી આગની ઘટના
ગોધરા ડેપોના સિનિયર ટ્રેન મેનેજર રાધેશ્યામ મીણા ની સતર્કતા કારણે ૧૨ મે ૨૦૨૬એ મોટી રેલ દુર્ઘટના ટળી. વડોદરાથી જતી ટ્રેનમાં ડેરોલ-ખરસાલીયા વચ્ચે એક ડબ્બામાં આગ લાગતાં તેમણે તરત લોકો પાઇલટને સંકેત આપી ટ્રેન અટકાવી. બાદમાં સળગતા સામાનને પાઇપથી દૂર કરી અને સ્ટાફ સાથે ફાયર એક્સટિંગ્વિશર વડે આગ બુઝાવી. ઘટનાની અસરકારક હેન્ડલિંગથી ટ્રેનને સુરક્ષિત રીતે ગોધરા તરફ રવાના કરવામાં આવી. તેમની સમયોચિત કાર્યવાહી અને કર્તવ્યનિષ્ઠા બદલ રેલવે તંત્રે પ્રશંસા કરી છે.