ગોધરા: ગોળીબાર વિસ્તારમાં 1948થી વસવાટ કરતા 70 થી વધુ નાયક પરિવારો શૌચાલય સહિતની પ્રાથમિક સરકારી યોજનાઓના લાભ થી વંચિત
કાલોલના ગોળીબાર વિસ્તારમાં દાયકાઓથી એટલે કે ૧૯૪૮થી રહેતા ૭૦થી વધુ નાયક પરિવારો હાલમાં કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. જમીનના દસ્તાવેજી પુરાવાઓ જેવા કે કબજા પાવતી અને આકારણીના અભાવે આ પરિવારોને સરકાર દ્વારા મળતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, ખાસ કરીને શૌચાલય સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે. જમીનની કબજા પાવતી તાત્કાલિક ધોરણે આપવામાં આવે. જમીનની યોગ્ય આકારણી કરવામાં આવે. રેવન્યુ રેકોર્ડમાં કબજેદાર તરીકે નાયક પરિવારોની કાયદેસરની નોંધ પાડવામાં આવે