શ્રી રામ સેવા સમિતિ દ્વારા જુનાડીસા ગામના સરકારી નોકરીમાં નિમણૂક પામેલા બત્રિસ જેટલા ભાઈઓ તથા બહેનોનો તા.૨૪/૧૨/૨૦૨૫ ને બુધવારના રોજ પ્રોત્સાહક સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે જુનાડીસા ગામની રાધે કૃષ્ણ ગૌશાળાના મહંત શ્રી ભરતગીરી બાપુ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, સરપંચ અમરતભાઈ પુનડીયા, દિલિપભાઈ બારોટ, જગદીશભાઈ પઢીયાર, અરવિંદભાઈ મોદી, હસમુખભાઈ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા....