સુરત મહાનગરપાલિકા દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે આંજણા વિસ્તારમાં રિડેવલપ કરવામાં આવેલા 416 નવા આવાસ અને 6 દુકાનોના લાભાર્થીઓ માટે આજે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો ડ્રો અને લોકાર્પણ સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે સંપન્ન થયો હતો. મંત્રીશ્રીએ બટન દબાવીને કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો હતો,,જેના દ્વારા લાભાર્થીઓને તેમના નવા આવાસની ફાળવણી કરવામાં આવી હતી.