તળાજા: દાઠા નજીક અકસ્માત મામલે વળતી ફરિયાદ, વૃદ્ધ ખેડૂતે અજાણ્યા બાઈક ચાલક સામે નોંધાવી ફરિયાદ
તળાજા તાલુકાના દાઠા ગામ નજીક બનેલા અકસ્માત મામલે હવે વળતી ફરિયાદ નોંધાતા ઘટનાએ નવો વળાંક લીધો છે. દાઠા ગામના વૃદ્ધ ખેડૂત અર્જુનસિંહ બચુભા સરવૈયાએ અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે બેફામ વાહન હંકારી અકસ્માત સર્જ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર અર્જુનસિંહ સરવૈયા પોતાની વાડીમાંથી સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન વાડી પાસેથી રોડ ઉપર નીકળતા