પેટલાદ શહેરમા કોલેજ ચોકડી નજીક આવેલ પશુ દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી. ઉતરાયણ પર્વને લઈને વિવિધ નાના-મોટા પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક દવાખાનામાં લાવીને ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી હતી. પેટલાદમાં વર્ધમાન ફાઉન્ડેશન અને જૈન એલર્ટ ગ્રુપના સભ્યો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.