ગત બે દિવસ અગાઉ શહેરા તાલુકાના મીઠાલી ગામની સ્નેહલ અનિલ વણકર નામની બે સંતાનોની માતાએ કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું હતું,જેમાં પિયરપક્ષે પતિના ત્રાસથી પરિણીતા એ આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો,જોકે હવે આ બનાવમાં પરિણીતાના પિતા પ્રવિણભાઈએ પરિણીતાના પતિ અનિલ વણકર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવી છે.