ભાવનગરના ચાવડીગેટ પાસે આવેલી 'મોલીધરની જગ્યા'માં વર્ષોથી રહેતા પરિવારોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, મંદિરના સાધુ અને વિઠ્ઠલવાડી વિસ્તારના બિલ્ડર સોહિલભાઈ દ્વારા તેમને ઘર ખાલી કરવા માટે સતત ધાકધમકી આપવામાં આવી રહી છે. એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે તેઓ પાણી ભરવા ગયા હતા ત્યારે સાધુએ તેમની નાની દીકરીને માર માર્યો હતો જેને ઇજા થતાં સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવી.