અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બીજલભાઈ છાંગાનો ગૌરવવંતા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અંજારના ધારાસભ્યને ગુજરાત રાજ્યના મંત્રી બનવા બદલ ગાંધીનગર મધ્યે અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોડરાણી, કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠીયા,શાસક પક્ષના નેતા નિલેશગિરિ ગોસ્વામી,અંજાર શહેર ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ સોરઠીયા, અંજાર શહેર ભાજપના ઉપપ્રમુખ અલ્પેશભાઈ દરજી સહિત અંજાર ભાજપ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.