આજરોજ મંત્રી ત્રિકમભાઈ અંજાર ડેપોની બસમાં મુસાફરી કરી મુસાફરો સાથે સંવાદ કર્યો હતો.બસમાં તેઓ મુસાફરોની વચ્ચે જ બેઠા હતા.બસમાં બેસેલા લોકોને નવાઈ તો ત્યારે લાગી,જ્યારે તેમણે સામાન્ય માણસની જેમ બસમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન ત્રિકમભાઈ છાંગાએ એસટી ડેપો મેનેજર એચ આર શામળા પાસેથી મુસાફરોને અપાતી સુવિધાઓ, સ્વચ્છતા, સમયપાલન અને સેવાઓ વિશે માહિતી મેળવી હતી.