બગસરા: કેશોદના માણેકવાડા ગામ પાસે ધોળા દિવસે સોનાના ચેન ની લૂંટ પોલીસે તપાસ હાથ ધરી
મુળ કેશોદ પંથકના પ્રા સલી ગામના અને હાલ જૂનાગઢ રહેતાં ધનીબેન ગોવિંદભાઈ બકોત્રા કેશોદ રહેતાં પુત્રને ત્યાં આટો મારવા ગયા હતા.અને બપોરના 2:30 વાગ્યાંની આસપાસ જૂનાગઢ તરફ બાઇકમાં જતા હતા ત્યારે માણેકવાડા ગામ પાસે પહોંચતા એક બાઈક ચાલક અચાનક નજીક આવ્યો હતો.અને ધનીબેને ગળામાં પહેરેલો સોનાનો ચેન ઝૂંટ મારી ફરાર થઈ ગયો હતો પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે તપાસ હાથ ધરી છે