અમદાવાદ ખાતે યોજાયેલી ડિવિઝનલ રેલ્વે બેઠકમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કચ્છના રેલ્વે વિકાસ માટે મહત્વની રજૂઆતો કરવામાં આવી હતી. ચેમ્બરના પ્રતિનિધિ રાકેશકુમાર જૈને ભુજ- મુંબઈ વચ્ચે નવી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવા, નમો ભારત રેપિડ ટ્રેનને સ્ટોપેજ આપવા અને દિલ્હીની ટ્રેનો દરરોજ ચલાવવા માંગ કરી હતી. આ ઉપરાંત, ભચાઉ સ્ટેશને વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અને આધુનિક ગુડ્સ શેડની સુવિધા વિકસાવવા પર ભાર મુકાયો હતો.