તળાજા: બપાડા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી લખી સફળતાની નવી કહાની
.ઓ : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામે રહેતા ગોહિલ સિદ્ધરાજભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે. અગાઉ તેઓ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ છેલ્લા 8 વર્ષથી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. મિત્રોની પ્રેરણાથી છેલ્લા ચાર વર્ષથી તેઓ અલગ અલગ વેરાયટીના તરબૂચનું વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે પણ તેમણે વિશેષ જાતના તરબૂચનું વાવેતર કર્યું છે, જેને બજારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સિદ્ધરાજભાઈ પોતાના ખેતરમાં તૈયાર થતા તરબૂચનું પેકિંગ