ભરૂચના કસક સર્કલ નજીક જલારામ મંદિર સામેથી સ્ટેશન ગરનાળા તરફ જતાં મોટા વાહનોને રોકવા માટે લોખંડની એંગલ લગાવવી, કસક વિસ્તારથી ગોલ્ડન બ્રિજ સુધી તેમજ અન્ય 2 રોડ પર પેવર બ્લોકના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ, ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શીતલ સર્કલથી અહીના વિસ્તારને આવરી લેતી મુખ્ય ડ્રેનેજ લાઇનની કામગીરી અંગે DMF ફોરમ હેઠળ 40 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. જેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવનાર છે.