પુસ્તક પરબ, વલસાડ દ્વારા કપરાડા તાલુકાના વાલવેરી ગામમાં પુસ્તકાલયનો શુભારંભ કરાઅમાં આવ્યો હતો. સાથે સાથે ધાબળા વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં બાળકો વાંચન કરી શકે, વાંચન ક્ષમતા વિકસે, ભાષા સમૃદ્ધ બને અને શબ્દ ભંડોળ વધે તે હેતુથી પરબ દ્વારા ૧૫૧ પુસ્તકોની નાનકડી લાઇબ્રેરી ઊભી કરી આપવામાં આવી છે.