સરહદી કચ્છ જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 30 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ છેવાડે આવેલા ગામોની મુલાકાતે આવ્યા છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર જા સાહેબ દ્વારા નાગપુર લોદ્રાણી ગામે મુલાકાત કરાઈ હતી..આ વેળાએ ખાટલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામ લોકો સાથે છેવાડે કાયદો અને વ્યવસ્થાનો તાગ મેળવી કોઈ પણ પરિસ્થિતિમાં પોલીસ તમારી સુરક્ષા માટે તત્પર હોવાનું જણાવ્યું હતું.