યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હૉલ ખાતે 73મો સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું. દિવસ દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમ્યાન શ્રી યુવા મિત્ર મંડળના કાંતિભાઈ દુધાત,ધર્મેશ ડોબરીયા,મયુર કોટડિયા સહિત હાજર રહ્યા હતા.