ધોળકા બાર એસોસિએશન દ્વારા ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલનો સત્કાર અને સન્માન સમારોહ તા. 02/12/2025, મંગળવારે સાંજે 5 વાગે BAPS સ્વામિનારાયણ મંદિર ધોળકા ખાતે યોજાયો હતો. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, ધોળકા વકીલ મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ જાદવ, વકીલ મિત્રો અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.