માણાવદર: બાંટવા ડેપોની બસ અધવચ્ચે જ બંધ,છાત્રો મુશ્કેલીમાં મુકાયા
બાંટવા એસટી વર્કશોપની બેદરકારીને કારણે દિવસમાં ત્રણ ત્રણ એસટી બસો બ્રેક ડાઉન થતી હોય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે અનેક વખત રજુઆત પણ કરવામાં આવી છે.પરંતુ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી.તેમજ અહીં તો ડેપો મેનેજર કે.બી પટેલ મોટા ભાગે ગેરહાજર રહેતા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.સરાડીયા મુકામે એસટી બસ નંબર 39 43 અને આજે ત્રણ-ત્રણ ગાડી બ્રેક ડાઉન છે તો કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.