જાંબુઘોડાના ખાંડીવાવ ગામે આજે મંગળવારના રોજ કોગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચી હતી જેમાં અમિત ચાવડાએ સુરેન્દ્રનગર કલેકટરને ત્યાં ઇડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાબતે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે ચોક્કસ ટાર્ગેટ કરે છે એવા લોકોને હેરાન પરેશાન કરવામા આવે છે.સુરેન્દ્રનગર કલેકટરને ત્યાં તપાસ થઈ તો જોયુ કે 1500 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ની હકીકત સામે આવે છે તેઓ હજુ પણ ઊડાણ પૂર્વકની તપાસ કરવામા આવે તો તેના છેડા કમલમ સુધી જોડાવાના છે